સામાન્ય લોકો પણ કેસર કેરીની મજા માણી શકશે, જાણો યાર્ડનો નવો ભાવ
નમસ્તે મિત્રો, તાલાલામાં કેસર કેરીની હરાજી શરૂ થઇ છે. જેમાં પ્રથમ દિવસે યાર્ડ કેસર કેરીથી છલકાયું છે. તેમાં 7 હજાર બોક્સ હરાજીમાં આવવાની સંભાવના છે. તેમજ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે રૂ.21000 માં છે.તથા જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ હરાજી શરૂ કરાવી છે.
આ વખતે ચોમાસા સુધી કેસર કેરી લોકો ખાઈ શકશે.આજે પ્રથમ દિવસે 7 હજાર બોક્સ હરાજીમાં આવવાની સંભાવના છે. ગીર સોમનાથની વિશ્વવિખ્યાત કેસર કેરીની હરાજીનો આજે તાલાળા મેંગો માર્કેટ યાર્ડ ખાતે શુભારંભ કરાયો છે. જેમાં અગાઉની સંભાવનાઓ કરતાં આ વખતે કેસર કેરીથી પ્રથમ દિવસે યાર્ડ છલકાયું છે.
ગત વર્ષે 10 કિલોના બોક્સના રૂપિયા 3500ની સામે આ વર્ષે પ્રથમ દિવસે જ 7000થી વધુ બોક્સની આવક થઇ છે. જેમાં રૂપિયા 700થી લઈને રૂપિયા 900 સુધીના ભાવ બોલાયા છે. તેથી આ વખતે લાંબી સિઝન ચાલશે. તથા ચોમાસા સુધી કેસર કેરી લોકો ખાઈ શકશે. તેમજ મધ્યમ વર્ગ અને સામાન્ય લોકો પણ કેસર કેરીની મજા માણી શકશે.
જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ઢગલા થયા છે. આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે. બોક્ષ દીઠ ભાવ જાણીને તમે પણ થઇ જશો ખુશ ખુશાલ.કેરીની મહારાણી ગણાતી કેસર કેરીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.
પરંતુ છેલા થોડા વર્ષોથી કેરીને વાતાવરણનું ગ્રહણ લાગતું આવ્યું છે અને દર વર્ષે કેરીનો પાક થોડે ઘણે અંશે બગડે છે અથવા મોડો આવે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે કેરીના પાક પર અસર થઇ હતી. જુનાગઢ પંથકની કેસરની ખૂબ માંગ હોય છે અને કેરીનું હબ પણ ગણાય છે. પણ ચાલુ વર્ષે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.’
જૂનાગઢ માર્કેટ યાર્ડના વેપારીએ આ અંગે જણાવ્યુ કે, હાલ આ સમયમાં ૨૫થી 30 હજાર બોક્ષની આવક હોય છે તેની સામે ૪થી ૫ હજાર બોક્ષની આવક થઇ છે. સીઝન લાંબી ચાલશે હાલ 10 કિલોના 500થી 1100 રૂપિયા છે જે કેરીની આવક વધતા ઘટે તેવી સંભવના જોવા મળી રહી છે.આ ઉપરાંત વેપારીઓએ એવી પણ જણાવ્યુ છે કે, આવનારા થોડા દિવસોમાં 10 કિલો કેરીનો ભાવ 400થી 800રુપિયે પણ થઇ શકે છે.
ત્યારે કેરીના ઇજારદાર કહે છે કે, કેરીમાં ખુબ નુકશાન છે અમને ઇજારાના ભાવ મળશે કે નહિ તે હજુ નક્કી નથી. પણ હાલ કેરીની આવક વધી છે જો આવા ભાવ રહેશે તો વાંધો નહિ બાકી કેરીમાં ચાલુ સાલે નુકશાન થયું છે.આપને જણાવીએ કે, રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એર સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ રહી છે.
આ માવઠાની અસરથી કેરીના ખેડૂતોને ચિંતા છે કે તેમનો પાક સારો રહેશે કે નહીં.હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંદર તારીખ સુધી માવઠાની આગાહી નથી. જ્યારે 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે. જ્યારે રાજ્યમાં એક દિવસ બાદ એટલે કે, પાંચથી દસમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે.
માર્ચમાં વારંવાર માવઠું થતું તે જ રીતે એપ્રિલ પણ વાતાવરણ બદલાતું રહેવાની આગાહી કરવામાં આવી છે.તો મિત્રો એકવાર જરૂરથી ચાખજો આ કેસર કેરીનો સ્વાદ.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.