આવી રહ્યા છે બે ચક્રવાત, અંબાલાલ પટેલની આગાહી, જાણો તારીખ
ગુજરાતના વાતાવરણમાં પહેલીવાર એવા પલટા જોવા મળી રહ્યાં છે, જ્યાં એક મહિનામાં ગરમી, વરસાદ અને વાવાઝોડું એક સાથે ત્રાટકતું હોય. મે મહિનામાં આવી રહેલા પલટાથી લોકોને સમજાઈ નથી રહ્યું કે, વાતાવરણમાં શું ખીચડો બની રહ્યો છે. ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી જ મોટા પલટા આવી રહ્યાં છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે અંબાલાલની આગાહી પણ ફરી આવી ગઈ છે. જેમા તેઓએ બે ચક્રવાત આવવાની આગાહી કરી છે. આવો જોઈએ ક્યાં ચક્રવાત સર્જાશે અને ક્યારે સર્જાશે.
અંબાલાલ પટેલે શું આગાહી કરી
જેમા અંબાલાલ પટેલે કહ્યું હતું કે 24 મેથી 5 જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે.
હવામાન વિભાગ શું કહે છે?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન 31 મે સુધીમાં કેરળમાં પ્રવેશી જશે તેવી શક્યતા છે.
દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે લગભગ 7 દિવસ આગળ પાછળ રહેતા અંતરાલની સાથે 1 જૂને કેરળમાં પ્રવેશ કરશે. જે બાદ આ સામાન્ય રીતે ઝડપથી ઉત્તર ભારત તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ આખા દેશને કવર કરી લે છે.
નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.